સ્ટાર્મરે
યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મરે બુધવાર, 8 ઓક્ટોબરે મુંબઈના અંધેરી ઉપનગરમાં યશ રાજ ફિલ્મ્સ (YRF) સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. . Stefan Rousseau/Pool via REUTERS

યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મરે બુધવાર, 8 ઓક્ટોબરે મુંબઈના અંધેરી ઉપનગરમાં યશ રાજ ફિલ્મ્સ (YRF) સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. આ સ્ટુડિયો બોલીવુડનું મુખ્ય પ્રોડક્શન હબ છે.આ મુલાકાતનો હેતુ સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવાનો અને બ્રિટિશ અને ભારતીય ફિલ્મ ઉદ્યોગો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. સ્ટાર્મરે જાહેરાત કરી હતી કે YRF સહિત મુખ્ય ભારતીય પ્રોડક્શન હાઉસ યુકેના વિવિધ સ્થળોએ ફિલ્મો બનાવશે.

વડાપ્રદાન સ્ટાર્મરનું બોલીવુડ સ્ટાર રાની મુખર્જીએ યશ રાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં સ્વાતગ કર્યું હતું. સ્ટાર્મરે રાની મુખર્જી સાથે સ્ટુડિયોમાં ફિલ્મ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. રાની મુખર્જી યશ રાજ ફિલ્મ્સના વડા અને નિર્માતા આદિત્ય ચોપરાની પત્ની પણ છે. યશ રાજ ફિલ્મ્સના સીઈઓ અક્ષય વિધિ પણ સ્ક્રીનિંગમાં હાજર હતાં.

તેમની સાથે યુકેના ફિલ્મ ઉદ્યોગનું એક પ્રતિનિધિમંડળ હતું જેમાં બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ, બ્રિટિશ ફિલ્મ કમિશન, પાઈનવુડ સ્ટુડિયો, એલ્સ્ટ્રી સ્ટુડિયો અને સિવિક સ્ટુડિયોના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે સ્ટાર્મર YRFના સીઈઓ અક્ષય વિધવાની, YRFના ચેરપર્સન આદિત્ય ચોપરાની અભિનેતા પત્ની રાની મુખર્જી, મેડૉક ફિલ્મ્સના દિનેશ વિજાન, એક્સેલ એન્ટરટેઈનમેન્ટના રિતેશ સિધવાની અને ધર્મા પ્રોડક્શનના અપૂર્વ મહેતા સહિત અનેક ભારતીય નિર્માતાઓને મળ્યા હતાં. બ્રિટિશ વડા પ્રધાન અને ભારતીય નિર્માતાઓ વચ્ચેની મુલાકાત લગભગ 30 થી 40 મિનિટ સુધી ચાલી હતી.

સ્ટાર્મરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોલિવૂડ બ્રિટનમાં પાછું આવી રહ્યું છે, અને તે નોકરીઓ, રોકાણ અને તકો લાવી રહ્યું છે, આ દર્શાવે છે કે યુકે વૈશ્વિક ફિલ્મ નિર્માણ માટે વિશ્વ કક્ષાના લોકેશન છે. ભારત સાથેનો અમારો વેપાર કરાર આ પ્રકારની ભાગીદારી ખોલશે. તેનાથી વૃદ્ધિને વેગ મળશે, સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનશે.

તેમની મુલાકાતને સર્જનાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવા તરફના એક પગલા તરીકે જોવામાં આવે છે, જેમાં સંભવિત સંયુક્ત ફિલ્મ પ્રોજેક્ટ્સ અને સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમોનો સમાવેશ થાય છે.યુકેના વડા પ્રધાનની મુલાકાત પહેલા સ્ટુડિયોની આસપાસના મુખ્ય સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. સ્ટાર્મરની મુલાકાત ભારત-યુકે રાજદ્વારી અને સાંસ્કૃતિક સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જેમાં ફિલ્મ, રમતગમત અને વાણિજ્યને એક જ વ્યૂહાત્મક એજન્ડા હેઠળ જોડવામાં આવશે.

 

 

LEAVE A REPLY