(ANI Photo)

એક્ટ્રેસ સની લિઓની પર જૂનું અને ક્લાસિક ગીત મધુબન મેં રાધિકા નાચે..નુ નવુ વર્ઝન ફિલ્માવવામાં આવ્યુ છે. તેનાથી ભારે વિવાદમાં ઊભો થયો હતો. સની લિઓની પર જે રીતે આ ગીત શૂટ કરાયું છે તેના કારણે હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈને ઠેસ પહોંચી છે અને તેને હટાવવા માટેની માંગણી ઉગ્ર બની રહી છે.

આ ગીતનુ નવુ વર્ઝન સિંગર કનિકા કપૂરે ગાયુ છે. લોકો તેના મેકર્સ પર ગુસ્સે થઈ રહ્યા છે અને ગીતને અશ્લીલ ગણાવીને સવાલો ઉઠાવી રહ્યા છે.એક યુઝરનું કહેવું છે કે મને હેરાની થાય છે કે, આખરે આ ગાયનને પ્રોડક્શનમાં સામેલ એક પણ વ્યક્તિએ રોકવાની કોશિશ કરી નથી…કોઈને ખબર કેમ ના પડી કે ગાયનના શબ્દો શું છે અને તેનો કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે…