પ્રતિકાત્મક તસવીર

સુરતમાં રાંદેર નવયુગ કોલેજ નજીક આવેલા નિલાંજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા. મંગળવારે વહેલી સવારે બનેલી આ દુર્ધટના બાદ ફાયર અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાટમાળ નીચે દબાયેલા ત્રણને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે આ ત્રણેયનાં મોત થયાં હતા.

આ એપાર્ટમેન્ટ જર્જરિત હોવાને કારણે ખાલી કરાવાયેલું હતું. જોકે મજૂરી કરી રાત્રે આ બિલ્ડિંગની નીચે સૂતેલા ત્રણ શ્રમજીવી લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વહેલી સવારે લગભગ 4 વાગ્યના અરસામાં ધડાકાભેર અવાજ પહેલા માળની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. આ બિલ્ડિંગ લગભગ 50 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે અને 9 મહિના પહેલાં મ્યુનિસિપાલિટીએ ખાલી કરાવ્યું હતું.