(AP Photo file)

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં નવા-નવા મુદ્દાઓ ઉમેરાતા જાય છે. અભિનેતાએ આત્મહત્યા કરી તેના થોડા દિવસ પહેલા જ તેની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનનું અચાનક મોત નીપજ્યું હતું. તેણે ૧૪મા માળેથી કુદકો મારીને મોતને ગળે લગાડયું હતું.

સુશાંતના પિતાએ નોંધાવેલી એફઆરઆઇમાં કહ્યું પણ છે કે, દિશાના અવસાન પછી સુશાંત ગભરાઇ ગયો હતો હવે અભિનેત્રી સિમી ગ્રેવાલે ટ્વીટ કરીને સુશાંતના આત્મહત્યાના સત્ય જાણવા માટે દિશા સાલિયનના મોતની તપાસ કરવાની અને સીબીઆઇ તપાસની માંગણી કરી છે.

સિમીએ પોતાના ટ્વીટમાં કહ્યું છે કે, દિશા સાલિયનના મોતની તપાસ થવી જોઇએ. તેણે ભારપૂર્વક જણાવ્યું છે કે આ કેસને ઇગ્નોર કેમ કરવામાં આવી રહ્યો છે ? દિશાના મોતની તપાસ સુશાંત સાથેની જોડાયેલી કડી સુધી લઇ જશે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, દિશાના મૃત્યુની તપાસ થવી જોઇએ. તેના પ્રત્યે લક્ષ્ય કેમ નથી આપવામાં આવી રહ્યું ?

દિશાના કેસની તપાસથી જ સુશાંતની આત્મહત્યાની કડીઓ મળી આવશે. આપણે ચુપ બેસી શકીએ નહીં. ઉલ્લેખનીય છે કે, સુશાંતના મિત્ર અને રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીએ જણાવ્યું હતું કે, સુશાંતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયના મૃત્યુના સમાચારથી સુસાંત બહુ ડિસ્ટર્બ થઇ ગયો હતો.