ઓસ્ટ્રેલિયાના પર્થ ખાતે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. જેગ્સ ક્રિસનન-મેમ્બર ફોર રીવરટન, સીનીયર સાર્જન્ટ બ્રાડ પીંચ-બેઝવોટર પોલીસ, બેઝવોટર સીટીના મેયર ફિલોમીના પીફરેટ્ટી અને બેઝવોટર સીટીના કાઉન્સિલર સલ્લી પાલમેર ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે નગરયાત્રા પણ યોજાઈ હતી.