(Photo by Danny Lawson - WPA Pool/Getty Images)

ભારતીય બ્રિટિશર નાણા પ્રધાન ઋષિ સુનાકના બજેટની જોગવાઈઓના પગલે બ્રિટનના લાંબા ગાળાના વીસા વધારે મોંઘા પડશે. ભારત સહિતના દેશોમાંથી આવનારા માઇગ્રન્ટ્સ પાસેથી વસુલાતી ફરજિયાત હેલ્થ ફી 400 પાઉન્ડથી વધારીને 624 પાઉન્ડ કરવા સૂચવાયું છે. જનરલ પ્રેક્ટીશનર પિતા અને ફાર્માસિસ્ટ માતાના સંતાન સુનાકે ઇમિગ્રશન હેલ્થ સરચાર્જમાં તોતિંગ વધારો સૂચવ્યો છે.
હાઉસ ઓફ કોમન્સમાં બજેટ પ્રવચનમાં 39 વર્ષના નાણાં પ્રધાને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય આરોગ્ય સેવા (એનએચએસ) નો માઇગ્રન્ટ્સને લાભ મળે છે. આપણે સૌ પણ તેમ ઇચ્છીએ પરંતુ લોકોને લાભ મળતો હોય તો તેની સામે લોકોએ પણ યોગદાન આપવું રહ્યું. હેલ્થ સરચાર્જ લોકોને મળતા હેલ્થ બેનિફિટની સામે કાંઇ જ નહીં હોવાથી હેલ્થફીમાં બાળકો માટે રાહતદરની ઓફર સાથે 400 પાઉન્ડથી વધારી 624 પાઉન્ડ કરવા સૂચવાયું છે.
રીશી ઋષિ સુનાકે તેમાના પ્રથમ બજેટમાં અર્થતંત્રને ધબકતું રાખવા કોરોનાની અસરને ધ્યાનમાં રાખીને 30 બિલિયન પાઉન્ડના પેકેજની જાહેરાત કરી છે. બાળકો માટે 470 પાઉન્ડની રાહતરૂપ હેલ્થ ફી સૂચવાઇ છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેની હેલ્થ ફી 300 પાઉન્ડથી વધારી 470 પાઉન્ડ કરવામાં આવી છે. ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ એપ્રિલ 2015માં દાખલ કરાયો હતો અને ડીસેમ્બર 2018માં 200 પાઉન્ડથી વધારીને 400 પાઉન્ડ કરાયો હતો.
ભારતીય બ્રિટિશર્સ ડોકટરોની યુકેની સૌથી મોટી પ્રતિનિધિ સંસ્થા બ્રિટિશ એસોસીએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીને યુકે ગૃહ મંત્રાલયને સરચાર્જ અંગે નવેસરથી વિચારવા રજુઆત કરતાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય આરોગ્ય સેવામાં સ્ટાફની અછતને પહોંચી વળવા વધારે હેલ્થકેર પ્રોફેશનલ્સની ભરતીના પ્રયાસોને સરચાર્જથી પ્રતિકૂળ અસર થઇ શકે છે.
ભારતીય ઉદ્યોગોએ પણ ચેતવણી આપી છે કે હાલની ઉંચી વીસા ફી ઉપર વધારાનો બોજો પ્રતિકૂળ નીડવશે. ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના યુકે કાઉન્સિલ ઓફ ફેડરેશનના અધ્યક્ષા બેરોનેસ ઉષા પ્રશારે જણાવ્યું હતું કે યુકેમાં ભારતીયો દ્વારા સંચલિત વેપાર ધંધા ઉપર આ વધારાનો બોજો પડશે.