યુકે સરકાર પ્રસ્તાવિત ગ્રેજ્યુએટ રૂટ વિઝાની સમીક્ષા કરવામાં આવશે. આ વિઝાથી વિદેશી વિદ્યાર્થીઓને યુકેમાં અભ્યાસ પછી બે વર્ષ સુધી કામ કરવાના વિકલ્પની મંજૂરી મળે છે. માઇગ્રેશન અંગેના તાજેતરના એક નવા સ્વતંત્ર રીપોર્ટમાં એવો સંકેત આપવામાં આવ્યો હતો કે, આ સમીક્ષામાં ભારતીય વિદ્યાર્થીઓની અસર વિશે એવું વિશ્લેષણ કરવામાં આવશે કે, શું તેઓ ઉચ્ચ કૌશલ્યયુક્ત પ્રતિભા જાળવી રાખીને બ્રિટનના શ્રેષ્ઠ હિતમાં કાર્ય કરી રહ્યા છે કે નહીં.
યુકે સરકારને તેની વિઝા નીતિઓ અંગે સલાહ આપનાર માઇગ્રેશન એડવાઇઝરી કમિટી (MAC)એ જણાવ્યું હતું કે, હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ ગત સપ્તાહે સંસદમાં કરેલી જાહેરાતના અનુસંધાનમાં હોમ ઓફિસ કમિશનની ઔપચારિક સમીક્ષાની રાહ જોઈ રહ્યું છે કે, ગ્રેજ્યુએટ રૂટ યુકેના ઉચ્ચ શિક્ષણની અખંડિતતા અને ગુણવત્તાનું રક્ષણ કરશે અને દુરુપયોગને અટકાવશે.”

જુલાઇ 2021માં ભૂતપૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો હોવાથી, ગ્રેજ્યુએટ રૂટ વિઝા મંજૂર કરાયેલા 176,000 વિદ્યાર્થીઓમાંથી 42 ટકા ભારતીય નાગરિકો હતા, એટલે કે આ કેટેગરીમાં કોઈપણ ફેરફારની ભારતીયો પર નોંધપાત્ર અસર કરશે. કમિટીના ચેરમેન પ્રોફેસર બ્રાયન બેલે મીડિયાને જણાવ્યું હતું કે, “આ અંગે હોમ ઓફિસ અમને શું કહેશે તે હું બરાબર જાણવા ઇચ્છતો નથી પરંતુ તેમની પાસે અનેક વિકલ્પો છે.”
બેલે વધુમાં જણાવ્યું હતું કે, “ગ્રેજ્યુએટ રૂટ અંતર્ગત આ સમયે, અનિવાર્યપણે, તમે શું કરી શકો તેના પર કોઈ પ્રતિબંધ નથી. જો તમારી પાસે નાણા છે, તો તમે ફક્ત બે વર્ષ સુધી યુકેમાં રહી શકો છો અને કંઈ કરી શકતા પણ નથી. અમુક પ્રકારની નોકરી અથવા અમુક પ્રકારની પ્રવૃત્તિ કે જે તમે પસંદ કરશો તેને તમે પ્રતિબંધિત કરી શકો છો. હું એમ નથી કહેતો કે કમિટી ભલામણ કરશે, પરંતુ તે જે કંઈ હશે તેની સમગ્ર સમીક્ષાને ચોક્કસ ધ્યાનમાં લઈશું.”
જોકે, બ્રાયન બેલે એવો સંકેત આપ્યો હતો કે, જો હોમ ઓફિસ કમિશન નવા વર્ષની શરૂઆત મંજૂરી મેળવશે તો કમિટી સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024ની આસપાસ ફરીથી તેને ધ્યાનમાં લેશે તેવી સંભાવના છે.
વિદેશી વિદ્યાર્થીઓના વિવિધ ગ્રુપે અગાઉ વિઝા કેટેગરીમાં આ પ્રકારની વ્યાપક સમીક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે યુકેને એક મહત્ત્વપૂર્ણ દેશ માને છે. તાજેતરમાં પાર્લામેન્ટ કોમ્પ્લેક્સમાં ઇન્ડિયા યુકે એચિવર્સ ઓનર્સ 2024ના પ્રારંભ પ્રસંગે યુકેના ભૂતપૂર્વ યુનિવર્સિટીઝ પ્રધાન જો જોન્સને જણાવ્યું હતું કે, હું માનું છું કે, એ બાબત ખૂબ જ મહત્ત્વની છે કે, ગ્રેજ્યુએટ રૂટની સમીક્ષામાં યુકેમાં અભ્યાસ પછી કામ કરવામાં તેમની ભૂમિકા પર સવાલ ઊભા કરવાને બદલે આ વિઝાના કોઇપણ દુરુપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

LEAVE A REPLY

one × four =