ઉત્તરાખંડના વિખ્યાત તીર્થધામ યમનોત્રીગંગોત્રી નજીક આવેલા ઉત્તરકાશીમાં એક હિન્દુ યુવતીના અપહરણના પ્રયાસના મુદ્દે તાજેતરમાં પોલીસે એક મુસ્લિમ યુવક સહિત બે લોકોની ધરપકડ કરી હતી. અપહરણની ઘટના બાદ હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ આ વિસ્તારમાં મુસ્લિમોને દુકાનો ખાલી કરી દેવાની ચેતવણી આપતાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. જેને પગલે આ વિસ્તારમાંથી અનેક મુસ્લિમ વેપારીઓ દુકાનો ખાલી કરીને જતા રહ્યા હોવાના અહેવાલો છે. આ વિસ્તારમાં મુસ્લિમોની ૩૦ જેટલી દુકાનો ઘણા સમયથી બંધ છે. જે મુસ્લિમો પલાયન કરી ચુક્યા છે તેમાં ભાજપના જ લઘુમતી બાબતોના નેતાઓનો પણ સમાવેશ થતો હોવાના અહેવાલો છે.

LEAVE A REPLY

6 + one =