Vrajrajkumar Mahoday

શ્રી વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ. શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આધ્યાત્મિક પ્રવાસ-2025 અંતર્ગત ઇસ્ટ લંદન, સાઉથ લંડન અને નોર્થ લંડન ખાતે ધાર્મિક પ્રવચનો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

બાલમ મંદિર – રાધા કૃષ્ણ શ્યામા આશ્રમ, શ્રીનાથજી હવેલી, 33 બાલમ હાઇ રોડ, લંડન SW12 9AL ખાતે 6 જૂન શુક્રવારે બપોરે 2થી શ્રી રામ ચરિત્ર પર વચનામૃતનું આયોજન કરાયું છે.

7 જૂનના શનિવારના રોજ બપોરે 2થી શ્રી કૃષ્ણ ચરિત્ર પર વચનામૃતનું આયોજન નોર્બરી હાઈ સ્કૂલ ફોર ગર્લ્સ, કેન્સિંગ્ટન એવન્યુ, થોર્ન્ટન, હીથ CR7 8BT ખાતે કરવામાં આવ્યું છે.

9 જૂન સોમવારના રોજ બાલમ મંદિર ખાતે બ્રહ્મસંબંધ, શ્રી ઠાકોરજી પુષ્ટિકરણ અને પૂજ્ય જે શ્રી સાથે પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે પધરામણીનો લાભ મળશે. સંપર્ક: 07920 050 251 – 07929 165 395.

8 જૂન રવિવાર બપોરે 1:30થી સાંજે 7 સુધી હરીબેન બચુભાઈ નાગ્રેચા હોલ, 198 લેટન રોડ, લંડન E15 IDT ખાતે તથા 10 જૂનના રોજ સવારે 11:30થી 2:30 વાગ્યા સુધી શ્રી નાથજી સનાતન હિન્દુ મંદિર, 159-161 વ્હીપ્સ ક્રોસ રોડ, લંડન Ell INP ખાતે આધ્યાત્મિક પ્રવચનો, હરિ નામ સંકિર્તન અને શ્રી કૃષ્ણ ધ્યાન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: +44 7970 000 761.

પુષ્ટિમાર્ગના સ્તંભો વિષે 11મી જૂન, બુધવારના રોજ શ્રી કુંજ, નોર્થ લંડન ખાતે કરવામાં આવ્યું છે. 12મી જૂન, ગુરુવારના રોજ બપોરે 3થી 6:30 શ્રીનાથજી ચરિત્ર પર વચનામૃત અને પ્રસાદનું તથા 13મી જૂન, શુક્રવારે બપોરે 3થી 6:30 શ્રી યમુનાજી (લોટીજી ઉત્સવ) અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. 14 જૂન, શનિવારે બપોરે 3થી 6:30 શ્રી મહાપ્રભુજી વિષે પ્રવચન અને પ્રસાદનું આયોજન ધામેચા લોહાણા સેન્ટર, સાઉથ હેરો બ્રેમ્બર રોડ HA2 8AX ખાતે કરવામાં આવ્યુ છે. સંપર્ક: 07956 454 644, 07816 849 558.

LEAVE A REPLY