(Photo by STR/AFP via Getty Images)

બોલીવૂડમાં પણ ઘણા ફિલ્મકારો છે કે જેમની વચ્ચે અણબનાવ હોય, અને તેથી જ તેઓ એકબીજા સામે આવવાનું પસંદ કરતા નથી. જયા ભાદુરી બચ્ચન અને રેખા વચ્ચે પણ આવું જ કંઇક હોવાનું કહેવાય છે. તે બંને કોઈપણ કાર્યક્રમ, સમારંભ, પાર્ટી હોય તેઓ એકબીજાની સામે આવવાનું કે સાથે દેખાવવાનું ટાળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ખૂબ જ ઓછા લોકો જાણે છે કે જયા બચ્ચને રેખા પાસેથી એક વચન માગ્યું હતું અને એ વચનને કારણે અમિતાભ બચ્ચનના બંગલા જલસામાં રેખાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

કહેવાય છે કે, ફિલ્મોમાં રેખા અને અમિતાભ બચ્ચનની કેમેસ્ટ્રી દર્શકોને એટલી પસંદ આવી હતી કે તેમણે આ રીલ લાઈફ જોડીને રિયલ લાઈફ માની લીધી હતી અને જેને કારણે સૌથી વધુ તકલીફ જયા બચ્ચનને થઇ હતી. 1980ના દાયકામાં જયા બચ્ચને રેખાને જલસા બંગલા પર ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. જયા બચ્ચને ખુદ આ સ્પેશિયલ નાઈટ માટેની તૈયારીઓ કરી હતી. આ રીતે ડિનર પાછળની જયા બચ્ચનની ગણતરીઓ રેખા સમજી શક્યા નહીં અને જલસા પર ગયા હતા અને એ છેલ્લો દિવસ હતો જ્યારે રેખાએ જલસામાં પગ મૂક્યો હોય.

આ ડિનર વેળાએ જયા બચ્ચને રેખા પાસેથી વચન લઈ લીધું હતું કે કોઈ પણ જગ્યા કે પ્રસંગ કેમ ના હોય રેખા કોઈપણ પરિસ્થિતિમાં અમિતાભ બચ્ચનને નહીં મળે. રેખા કોઈ સ્થિતિમાં અમિતાભની સામે નહીં આવે. બસ આ એક વચનને કારણે જલસામાં રેખાના પ્રવેશ પર પ્રતિંબધ મુકાયો હતો. ત્યારથી લઈને આજ દિન સુધી કોઈ પણ પ્રસંગે અમિતાભ, રેખા કે બચ્ચન પરિવાર આમને-સામને આવવાનું ટાળે છે. જોકે, ક્યારેક એવા પણ સંજોગો સર્જાયા છે કે તેમનો સામનો થયો હોય.

LEAVE A REPLY

four × one =