ગુજરાતમાં શનિવારે કોરોનાના નવા 996 કેસ નોંધાયા હતા અને 15 દર્દીના મોત નીપજ્યા હતા. નવા કેસો સામે 3,004 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી. નવા કેસો કરતાં રિકવર કેસોમાં વધારો થતાં રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ઘટ્યો છે અને રિકવરી રેટ પણ હવે 96 ટકાને પાર પહોંચી ગયો છે.

સરકારે શનિવારે જારી કરેલા ડેટા મુજબ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 9,921 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. રાજ્યમાં કુલ 20,087 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 382 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

અમદાવાદમાં 149 કેસ સાથે 4 દર્દીનાં મોત, વડોદરામાં નવા 211 કેસ સાથે 2 દર્દીનાં મોત, સુરતમાં નવા 127 કેસ સાથે 3 દર્દીનાં મોત, રાજકોટમાં નવા 77 કેસ સાથે એક દર્દીનું મોત થયુ હતું. જામનગરમાં 36 અને ગાંધીનગરમાં 12 કેસ, ભાવનગર 19 અને જૂનાગઢમાં 61 કેસ, ગીર સોમનાથમાં 41, ભરૂચમાં 36, આણંદમાં 26 કેસ, અરવલ્લીમાં 21, ખેડ઼ામાં 20, નવસારીમાં 17 કેસ, વલસાડમાં 16, બનાસકાંઠામાં 15, કચ્છમાં 15 કેસ, મહિસાગરમાં 14, અમરેલીમાં 13, પંચમહાલમાં 10 કેસ, સાબરકાંઠામાં 10, પોરબંદરમાં 8, દ્વારકામાં 7 કેસ, મોરબીમાં 5, પાટણમાં 4, સુરેન્દ્રનગરમાં 3 કેસ, છોટા ઉદેપુર, નર્મદા, તાપીમાં 2-2, દાહોદમાં 1 કેસ નોંધાયો હતો.