પ્રતિક તસવીર : PTI Photo

રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 56874 થઈ ગઈ છે તો બીજી બાજુ 1015 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 41380 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કોરોના વાયરસથી કુલ મૃત્યુઆંક 2348 પર પહોંચ્યો છે.

નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 204, અમદાવાદ કોર્પોરેશનમાં- 144, વડોદરા કોર્પોરેશનમાં- 82, સુરત 54, રાજકોટ કોર્પોરેશન- 50, અમદાવાદ 40, સુરેન્દ્રનગર 30, દાહોદ 27, પાટણ 27, ભરૂચ 24, ગાંધીનગર 24, રાજકોટ 24, અમરેલી 22, બનાસકાંઠા- 19, ભાવનગર કોર્પોરેશન 19, વલસાડ 19, મહેસાણા 17, ગીર સોમનાથ 16, જૂનાગઢ કોર્પોરેશન 16, ખેડા 16, નવસારી 16, ભાવનગર 14, વડોદરા 14, જામનગર કોર્પોરેશન 13, આણંદ 12, કચ્છ 12, પંચમહાલ 12, મહીસાગર 11, મોરબી 11, ગાંધીનગર કોર્પોરેશન 10, જૂનાગઢ 10, સાબરકાંઠા 10, નર્મદા 6, તાપી 6, અકવલ્લી 4, બોટાદ 3, પોરબંદર 3, દેવભૂમિ દ્વારકા 2, જામનગર 2 અને અન્ય રાજ્ય 7 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ અનુસાર, વધુ 22 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે.

જેમાં સુરત કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશન -4, સુરત 4, પાટણ 2, વડોદરા કોર્પોરેશન -2, ભાવનગર 1, જુનાગઢ 1, મહેસાણા 1, પંચમહાલ 1 અને વડોદરામાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2348 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ 13146 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 વેલ્ટીલેટર પર છે અને 13065 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 41380 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 6,67,844 ટેસ્ટ કરવામાં આવ્યા છે.