અમદાવાદમાં 12 જૂને વિમાન દુર્ઘટનાના છ દિવસ પછી બુધવાર, 18 જૂન સુધીમાં ડીએન પરીક્ષણ મારફત ઓછામાં ઓછા 190 મૃતકોની ઓળખ કરાઈ હતી અને 159 મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યાં હતાં. આ દુર્ઘટનામાં કુલ 270 લોકોના મોત થયા હતાં અને બાકીના મૃતકોના પરિવારજનો નશ્વરદેહ મેળવવા માટે હજુ પણ પીડાદાયક પ્રતિક્ષા કરી રહ્યાં છે. પરિવારજનો માટે બેસવા અને પ્રતીક્ષા માટે સરકારે એક વિશાળ ડોમની વ્યવસ્થા કરી છે. ઘણા મૃતદેહો ઓળખી ન શકાય તેવા બળી ગયાં હતાં અથવા ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતાં, તેથી અધિકારીઓ પીડિતોની ઓળખ સ્થાપિત કરવા માટે ડીએનએ પરીક્ષણો કરી રહ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ પત્રકારોને જણાવ્યું હતું કે અત્યાર સુધી 190 ડીએનએ નમૂનાઓનું મેચિંગ થયું છે અને 150 મૃતદેહો સંબંધિત પરિવારોને સોંપવામાં આવ્યા છે. આ મૃતકો ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર અને રાજસ્થાન અને દીવના હતાં.
અગાઉ તેમણે શોકગ્રસ્ત પરિવારોને અપીલ કરી કે તેઓ નશ્વર દેહ સાથે ડીએનએ નમૂનાઓનું મેચિંગ કરવાની સમય માંગી લે તેવી પ્રક્રિયાથી ગભરાશો નહીં. અમે આ પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ. કેટલાક ફરિયાદ કરી રહ્યા છે કે 72 કલાક પછી પણ પરિણામો આવ્યા નથી. હું તેમને ગભરાટ ન કરવાની અપીલ કરું છું, કારણ કે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે જેમાં કાનૂની અસરો છે. પરિણામો આવતાની સાથે જ અમે તેમને ફોન કરીશું.
રવિવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ઓળખ માટે 250 પીડિતોના નમૂના લેવામાં આવ્યા છે.
લંડન જતા વિમાનમાં સવાર 241 મુસાફરોના મોત થયા હતાં, એક જ્યારે એક મુસાફર ચમત્કારિક રીતે બચી ગયો હતો.આ ઉપરાંત, અકસ્માતના સ્થળ પર 29 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જેમાં પાંચ MBBS વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આ ભયાનક ઘટના બની હતી, તે દિવસે ડીએનએ પરીક્ષણ માટે તેમના નમૂનાઓ સબમિટ કરનારાઓ પણ હજુ રાહ જોઇ રહ્યાં છે. તેમને 72 કલાક રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ રવિવારે સમયમર્યાદા પૂરી થઈ ગઈ હતી અને લાંબી રાહ જોઇ રહ્યાં છે. ક્રૂ મેમ્બર રોશની સોનઘારેના સંબંધી પૂજા સુખદારેએ જણાવ્યું કે “અમે ગઈકાલે ડીએનએ કલેક્શન સેન્ટરની મુલાકાત લીધી હતી પરંતુ અમને કહેવામાં આવ્યું હતું કે અમારા નમૂનાઓ હજુ સુધી મેચ થયા નથી
