મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે અને પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં રૂ. 376 કરોડના ખર્ચે તૈયાર થયેલ પાણી પુરવઠા વિભાગની ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓને આવરી લેતી બુધેલથી બોરડા બલ્ક પાઈપલાઈન યોજનાનું શનિવારે ખાતમુહૂર્ત કરવામા આવ્યું હતું. આ યોજનાથી ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના શહેરો અને ગામોની વસ્તીને વધારાના પાણીનો લાભ મળશે. ઢાંકી સુધી પાણી ગ્રેવીટીથી આવે છે ત્યાંથી સૌરાષ્ટ્ર કચ્છ સુઘી 100 માળ જેટલુ લીફ્ટ કરી લઈ જવાય છે.