સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના એક એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોને કોલકાતા એરપોર્ટ પર ઉતારી દેવામાં આવ્યાં હતાં. આ ઘટના મંગળવાર, 17 જૂને બની હતી. બોઇંગ 777-200LR વિમાન સાથેની ફ્લાઇટ AI180 કોલકાતા એરપોર્ટ પર સમયસર 00:45 વાગ્યે પહોંચી હતી, જોકે ડાબા એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે ટેકઓફ મોડી પડી હતી.
લગભગ 05:20 વાગ્યે તમામ મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતરી જવાની વિમાનમાં જાહેરાત કરાઈ હતી. વિમાનના કેપ્ટને મુસાફરોને જણાવ્યું કે, ફ્લાઇટ સલામતીના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એર ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું હતું કે, બધા 212 મુસાફરોને નાસ્તો આપવામાં આવ્યો હતો, અને તેમની પસંદગી અનુસાર કેટલાકને હોટલમાં ટ્રાન્સફર કરાયા હતા, જ્યારે અન્ય મુસાફરો માટે મુંબઈની વૈકલ્પિક ફ્લાઇટ ઓફર કરાઈ હતી.
