ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તાજેતરમાં તમામ ફોર્મેટની મેચ માટે કેટલાક નવા નિયમો જાહેર કર્યા હતા. આ મુજબ ખાસ બે ફેરફારો કરવામાં આવ્યા છે. એક, જો કોઈ ખેલાડીને રમતી વખતે માથામાં બોલ વાગશે તો તેણે ફરજિયાત ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી રમતથી દૂર રહેવું પડશે. બીજું, પુરુષોની ટી-20માં જો કોઈ કારણસર ઓવરની સંખ્યા 20થી ઘટાડાશે તો પાવરપ્લેની ઓવરની સંખ્યાની ગણતરી ઓવરને આધારે નહીં, પણ બોલને આધારે કરાશે. ઉદાહરણ તરીકે, જો ઓવર 20થી ઘટાડીને 15 થાય તો પાવરપ્લે 4.3 ઓવર સુધીનો રહેશે. અત્યારના સુધીના નિયમ મુજબ ટી-20 ઓવરની મેચમાં પ્રથમવાર છ ઓવર પાવરપ્લેની છે. હવે કુલ ઓવરની સંખ્યા ઘટડશે તો પાવરપ્લેની ઓવરની સંખ્યાને સંબંધિત ગણતરી નવા નિયમ મુજબ થશે. આ નવો નિયમ 2 જુલાઈએ શ્રીલંકા-બાંગ્લાદેશ વચ્ચેની સિરીઝથી લાગુ પડશે. દરેક ટીમે પ્રત્યેક મેચ માટે એક એવા ખેલાડીનું નામ ટીમની યાદી સાથે આપવું પડશે જે મેચ દરમ્યાન ઇજાગ્રસ્ત થનાર ખેલાડીને બદલે રમી શકશે.

LEAVE A REPLY