
ઓડિશાના પુરીમાં રથયાત્રા દરમિયાન રવિવાર વહેલી સવારે 4.30 વાગ્યે થયેલી ભાગદોડમાં બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયાં હતાં અને 10 અન્ય ઘાયલ થયા હતાં. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી શુભદ્રાની મૂર્તિઓ લઈને જતા ત્રણ રથો જગન્નાથ મંદિરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર શ્રી ગુંડિચા મંદિર પાસે હતાં ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.
રવિવારે વહેલી સવારે લગભગ ૪.૩૦ વાગ્યે પવિત્ર રથો ગુંડીચા મંદિર નજીક હતાં અને દર્શન માટે મોટી ભીડ એકઠી થઈ હતી. ભીડ વધતી જતી હતી અને કેટલાંક લોકો પડી ગયા હતાં અને નાસભાગ મચી ગઈ હતી. ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં, જેમાં બે મહિલાઓ, પ્રભાતી દાસ અને બસંતી સાહુ અને ૭૦ વર્ષીય પ્રેમકાંત મોહંતીનો સમાવેશ થાય છે. જાણવા મળ્યું હતું કે ત્રણેય ખુર્દા જિલ્લાના છે અને રથયાત્રા માટે પુરી આવ્યા હતાં.
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર સ્થળ પર ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસની વ્યવસ્થા અપૂરતી હતી. ઘાયલ થયેલા લોકોમાંથી કેટલાંકની હાલત ગંભીર હતીં.
રથયાત્રા દરમિયાન, ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી શુભદ્રાની મૂર્તિઓ સાથેના ત્રણ ભવ્ય રથોને ભક્તોની વિશાળ ભીડ દ્વારા ગુંડિચા મંદિરમાં લઈ આવ્યાં હતાં. ત્રણેય દેવતાઓ જગન્નાથ મંદિરમાં પાછા ફરતા પહેલા ત્યાં એક અઠવાડિયા ગુંડિતા મંદિરમાં વિતાવે છે.
