વંદે માતરમ
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે સવારે જારી કરેલા નવા નિયમોમાં જણાવ્યું હતું કે, તમામ સરકારી કાર્યક્રમો અને તમામ શાળાઓમાં રાષ્ટ્રગીત એટલે કે ‘જન, ગણ, મન’ પહેલાં ‘વંદે માતરમ’ વગાડવું આવશ્યક છે. નવા નિયમોમાં ‘વંદે માતરમ’ વગાડતી વખતે તમામ વ્યક્તિઓએ સાવધાન થઈને ઉભા રહેવું પણ જરૂરી છે. સરકાર રાષ્ટ્રીય ગીતના સંપૂર્ણ સન્માન અને તેના ઐતિહાસિક મહત્ત્વને જાળવી રાખવા આ નવા નિયમો જારી કર્યાં છે. રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ એ ભારતીય સ્વતંત્રતા સંગ્રામનું પ્રતિક છે

હવે પદ્મ પુરસ્કારો જેવા નાગરિક પુરસ્કાર સમારોહમાં અને રાષ્ટ્રપતિ દ્વારા હાજરી આપતા અન્ય તમામ કાર્યક્રમોમાં તેમના આગમન અને પ્રસ્થાન દરમિયાન પણ રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત છે. તે સિનેમા હોલ જેવા જાહેર સ્થળોએ પણ વગાડવામાં આવશે, જોકે આ કિસ્સામાં ઉભા રહેવું ફરજિયાત નથી. હવેથી કોઈપણ સરકારી કે સત્તાવાર કાર્યક્રમમાં ‘વંદે માતરમ્’નું સન્માન રાષ્ટ્રગાનની સમકક્ષ જાળવવાનું રહેશે. નવા ફેરફાર મુજબ, જો કાર્યક્રમમાં બંને ગીતોનો સમાવેશ હોય, તો સૌપ્રથમ વંદે માતરમ્ ગાઈને તેની શરુઆત કરવામાં આવશે.

અત્યાર સુધી ‘વંદે માતરમ્’ના માત્ર પ્રથમ કેટલાક અંશો જ ગાવાની પરંપરા રહી છે, પરંતુ નવા નિયમમાં સ્પષ્ટ કરાયું છે કે હવે તેના 6 છંદો ગાવામાં આવશે. આ સમગ્ર ગાયન માટે અંદાજે 3 મિનિટ અને 10 સેકન્ડનો સમય નિર્ધારિત કરાયો છે.

LEAVE A REPLY