(Photo by Alex DavidsonGetty Images)

બોપારન રેસ્ટોરન્ટ ગ્રુપ (બીઆરજી) દ્વારા 30 યુકે સાઇટ્સ ખરીદવાની સંમતિ બાદ એન્ગ્લો-ઇટાલિયન રેસ્ટોરન્ટ ચેઇન કાર્લુસિઓનો બચાવ થયો છે. હાઇસ્ટ્રીટમાં પહેલેથી જ પડકારજનક પરિસ્થિતિ અને કોરોનાવાયરસના પ્રસાર બાદ તકલીફો વધતા કાર્લુસિઓઝ ગૃપ માર્ચમાં એડમીનીસ્ટ્રેશનમાં ગયુ  હતુ. આ સોદા પછી 800 જોબ બીઆરજીમાં સ્થાનાંતરિત થશે. પરંતુ બજી 40 સાઇટ્સ કે જે આ સોદાનો ભાગ ન હતી તે બંધ થઈ જશે પરિણામે 1,019 સ્ટાફને રીડન્ડન્ટ કરાશે.

એફઆરપીના સંયુક્ત વહીવટકર્તા અને ભાગીદાર ફિલ રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, “કોવિડ-19 લૉકડાઉનથી લેઝર સેક્ટરના વ્યવસાયો પર અવિશ્વસનીય દબાણ છે, તેથી શક્ય તેટલી ઝડપથી અને નિર્ણાયક રીતે કામ કરવું મહત્વપૂર્ણ છે.”

આ સોદા માટે કોઈ કિંમત આપવામાં આવી ન હતી. જીરાફ અને એડ્સ ઇઝી ડીનર જેવી કેઝ્યુઅલ ડાઇનિંગ બ્રાન્ડની માલિકી ધરાવતા બીઆરજીએ યુકેના વહીવટને અલગથી ડબલિનમાં એક સાઇટ મેળવી હતી.

/* */

બીઆરજીના મેનેજિંગ ડિરેક્ટર સત્નામ લૈહલે કહ્યું હતું કે ‘’આ સંપાદન ગુણવત્તાયુક્ત બ્રાન્ડ્સ સાથે અમારા રેસ્ટૉરન્ટ જૂથને વધારવાની અમારી વ્યૂહરચનાને અનુરૂપ છે. આ ક્ષેત્ર માટેનો આ એક અત્યંત પડકારજનક સમય છે અને હું માનું છું કે લોકો લાંબા સમય બાદ લોકો જમવા પરત આવશે અને બિઝનેસ લાંબા ગાળે સુધરશે.” બીઆરજીની પેરેન્ટ કંપની બોપારન હોલ્ડિંગ્સ અગ્રણી ફૂડ બિઝનેસ 2 સિસ્ટર્સ ફૂડ ગ્રુપની માલિકી ધરાવે છે.