કોરોના મહામારીની બોલીવૂડ પર ગંભીર અસર પડી છે. આમ છતાં મોખરાના ફિલ્મકારો હિંમત રાખીને નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. તેઓ એક પછી એક પ્રોજેક્ટની જાહેરાત કરી રહ્યા છે. રણવીર સિંહે તાજેતરમાં પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી હતી અને હવે અજય દેવગણે પણ પોતાના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ અંગે અજયે જણાવ્યું હતું કે, મેં સિદ્ધાર્થ રોય કપૂર સાથે કોમેડી-ડ્રામા ફિલ્મ માટે સહયોગ સાધ્યો છે. ફિલ્મનું ડાયરેક્શન સબલ શેખાવત કરશે, આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ કરાશે. ફિલ્મની સ્ટોરી ખૂબ સરસ અને મનોરંજક છે. મને વિશ્વાસ છે કે ફિલ્મ દર્શકોને થિયેટરોમાં જોવા જવા માટે આ ફિલ્મ આકર્ષિત કરશે. તેમજ આ ફિલ્મ તેમનું મનોરંજન પણ કરશે. જોકે તે પોતે આ ફિલ્મ સાથે જોડાશે કે નહીં તેની તેણે સ્પષ્ટતા કરી નથી. આ ફિલ્મ 1990ના દસકા પર આધારિત છે. ફિલ્મની સ્ટોરીની સ્ટોરી એવી છે કે, એક વેટરનરી ડોકટર લાવારિસ જાનવરોને પ્રેમ કરતો હોય છે. આ જાનવરો માટે હોસ્પિટલ શરૂ કરવા ઇચ્છે છે. પરંતુ તેની સામે અનેક અવરોધ આવે છે.