The Election Commission rejected the allegations of bias in Gujarat election date
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડેએ ગુરુવારે નવી દિલ્હીમાં આકાશવાણી ભવનમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરી હતી.(ANI Photo/Shrikant Singh)

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કાના મતદાનની જાહેરાત કરતા ચૂંટણી પંચે ગુરુવારે “પક્ષપાત”ના આક્ષેપો નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે રાજ્ય માટે ચૂંટણીની તારીખોમાં વિલંબ માટે “બહુવિધ કારણો” છે. ચૂંટણી પંચના વડાએ જણાવ્યું હતું કે ગુજરાત પુલ દુર્ઘટના તેમાંથી એક કારણ હતું.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે ગુજરાત ચૂંટણીની તારીખો નિર્ધારિત સમયની અંદર છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોમાં જાહેરાતમાં બે સપ્તાહનો તફાવત હોવા છતાં બંને રાજ્યોમાં ચૂંટણીના રિઝલ્ટની જાહેરાત એકસાથે આઠ ડિસેમ્બરે થશે. તેમણે જણાવ્યું હતું કે “ચૂંટણી પંચની નિષ્પક્ષતા તેનો ગૌરવપૂર્ણ વારસો છે. અમે 100 ટકા નિષ્પક્ષ છીએ.”

તેમણે કહ્યું કે “ચૂંટણીનો નિર્ણય કરવામાં ઘણા પરિબળો છે. તેમાં હવામાન, વિધાનસભાની છેલ્લી ટર્મની તારીખ વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશની પરંપરા મુજબ એકસાથે ચૂંટણી યોજાય છે. અમારે ઘણી બધી બાબતોમાં સંતુલન રાખવું પડશે. અમે સમયની મુજબ છીએ.

કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ ચૂંટણી પંચ પર આક્ષેપ મૂક્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આદર્શ આચારસંહિતા અમલમાં આવે તે પહેલાં ગુજરાતમાં તેમનો પ્રચાર પૂરો કરવા માટે વ્યવસ્થા કરી આપવા માટે ચૂંટણી પંચે ગયા મહિને હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરી ન હતી.

ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરીએ અને હિમાચલ પ્રદેશનો કાર્યકાળ 8 જાન્યુઆરીએ પૂરો થાય છે. બંને રાજ્યોમાં ભાજપ સત્તામાં છે. ચૂંટણીપંચની જાહેરાત પહેલા કોંગ્રેસે એક ટ્વીટ કરીને ચૂંટણીપંચની ટીકા કરી હતી. ચૂંટણી પંચ પર પક્ષપાતનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે ટ્વિટ કર્યું હતું કે “ભારતનું ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે. તે નિષ્પક્ષ ચૂંટણીઓ યોજે છે.”

મુખ્ય ચૂંટણી કમિશનરે આક્ષેપનો જવાબ આપતા જણાવ્યું હતું કે “કેટલાક લોકો નકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરે છે. હું તમને સમજવાનો ગમે તેટલો પ્રયત્ન કરું તો પણ મહત્વપૂર્ણ છે કે પગલાં અને આપણા સાચા પરિણામો શું છે. પરિણામો દર્શાવે છે કે જેઓ આલોચન કરશે તેમને આશ્ચર્યજનક પરીણામ મળે છે. લોકો EVM પર સવાલ ઉઠાવે છે, પરંતુ જ્યારે પરિણામો તેમની તરફેણમાં આવે છે, ત્યારે તેઓ ચૂપ થઈ જાય છે.”

તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં 38 દિવસ માટે આદર્શ આચારસંહિતા અમલમાં રહેશે, જે સૌથી ટૂંકા સમયગાળામાંનો એક છે. “તે દિલ્હી ચૂંટણી જેટલો જ સમયગાળો છે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી સુધીનો છે, તેથી હજુ પણ સમય છે. ગણતરીના દિવસ અને ગુજરાત વિધાનસભાની મુદત પૂરી થાય તે દિવસ વચ્ચે 72 દિવસનું અંતર છે.

LEAVE A REPLY

14 + 10 =