
ગુજરાતના નર્મદા જિલ્લાના એક્તાનગરમાં મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શુક્રવાર 31 ઓક્ટોબર 2025એ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે નવી દિલ્હીમાં દર વર્ષે યોજાતી પ્રજાસત્તાક દિવસની પરેડની જેમ ભવ્ય એકતા પરેડ કાઢવામાં આવી હતી.
વડાપ્રધાન મોદી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.
ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે ઉજવણી કરાઈ હતી. રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ, એસએસબી સહિત સોળ ટુકડીઓ તથા જમ્મુ-કાશ્મીર, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશની પોલીસ ટુકડીઓ અને એનસીસીના જવાનો સામેલ થયા હતાં. ઓપરેશન સિંદૂરના મેડલ વિજેતા બીએસએફના 16 સૈનિકો અને સીઆરપીએફના શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતાઓ પાંચ સૈનિકોએ પણ ખુલ્લી જીપમાં સવારી કરીને પરેડમાં ભાગ લીધો હતો. પરેડમાં વિવિધ રાજ્યો અને CRPFએ યુનિટી થીમ પર આધારિત 10 થીમ આધારિત ટેબ્લો રજૂ કર્યાં હતાં.ભારતીય વાયુસેનાએ ઓપરેશન સૂર્ય કિરણ હેઠળ ફ્લાય-પાસ્ટ કરી હતી.
આ પ્રસંગે સીઆરપીએફ અને ગુજરાત પોલીસની મહિલા કર્મચારીઓ દ્વારા સંયુક્ત રાઇફલ ડ્રીલ, એનએસજી દ્વારા ‘હેલ માર્ચ’ અને આસામ પોલીસ દ્વારા મોટરસાઇકલ ડેરડેવિલ શો રજૂ કરાયા હતાં. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયની પહેલના ભાગ રૂપે, વિવિધ રાજ્યોના સમૃદ્ધ વારસા અને પરંપરાઓને દર્શાવતા વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું.











