પદ્મ પુરસ્કાર વિજેતાઓ, તેમના પરિવાર સાથે, બુધવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.. (ANI Photo/Jitender Gupta)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે રાષ્ટ્રપતિભવનમાં યોજાયેલા એક સમારંભમાં 68 હસ્તીઓનું પદ્મ એવોર્ડથી સન્માન કર્યું હતું. ગુજરાતના કુમુદિની રજનિકાંત લાખિયાને કલા માટે પદ્મવિભૂષણ, શિલ્પ સ્થાપ્ય માટે ચંદ્રકાંત સોમપુરાને પદ્મશ્રી અને કલામાં યોગદાન બદલ પરમાર લવજીભાઇ નાગજીભાઇને પદ્મશ્રી એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે અનાયત કરાયો હતો.

રાષ્ટ્રપતિએ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જગદીશ સિંહ ખેહર, નૃત્યાંગના શોભના ચંદ્રકુમાર, અભિનેતા અનંત નાગ અને પ્રતિષ્ઠિત કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સોનિયા નિત્યાનંદ સહિતના વ્યક્તિઓનું એવોર્ડથી સન્માન કર્યું હતું.

૨૫ જાન્યુઆરીએ ૭૬મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ 139 વ્યક્તિઓને દેશના નાગરિક પુરસ્કારો પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરાઈ હતી. તેમાંથી મંગળવારે 68 હસ્તીઓને એવોર્ડ એનાયત કરાયા હતા. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનેક કેન્દ્રીય પ્રધાન અને અનેક વિશેષ અતિથિ પણ હાજર હતાં. લોક ગાયિકા શારદા સિન્હાને કલા-લોક સંગીતના ક્ષેત્રે તેમના યોગદાન માટે મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતાં. તેમના દીકરાએ તેમના તરફથી આ પુરસ્કાર ગ્રહણ કર્યો હતો. કુમિદિની રજનીકાંત લાખિયાને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતાં. તેમના પૌત્રએ તેમના તરફથી આ પુરસ્કાર સ્વીકાર કર્યો હતો

LEAVE A REPLY