ભારત ખાતેની અમેરિકાના દૂતાવાસે યુ.એસ.માં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મંગળવારે ચેતવણી આપી હતી કે જો તેઓ શિક્ષણ સંસ્થાને જાણ કર્યા વગર અધવચ્ચે અભ્યાસ છોડી દેશે, વર્ગો છોડી દેશે અથવા સ્ટડી પ્રોગ્રામ છોડી દેશે તો તેમના સ્ટુડન્ડ વિઝા રદ કરવામાં આવી શકે છે.
દૂતાવાસે X પર એક પોસ્ટમાં વિદ્યાર્થીઓને વિઝાની શરતોનું પાલન કરવા અને કોઈપણ સમસ્યાઓ ટાળવા માટે વિદ્યાર્થી દરજ્જાને જાળવી રાખવાનો અનુરોધ પણ કર્યો હતો. દુતાવાસે જણાવ્યું હતું કે “જો તમે તમારી શાળાને જાણ કર્યા વિના અભ્યાસ છોડી દો છો, વર્ગો છોડી દો છો અથવા અભ્યાસનો કાર્યક્રમ છોડી દો છો, તો તમારા વિદ્યાર્થી વિઝા રદ થઈ શકે છે અને તમે ભવિષ્યમાં યુએસ વિઝા માટે પાત્રતા ગુમાવી શકો છો. હંમેશા તમારા વિઝાની શરતોનું પાલન કરો અને કોઈપણ સમસ્યાઓ ટાળવા માટે તમારા વિદ્યાર્થી દરજ્જાને જાળવી રાખો.
અમેરિકન યુનિવર્સિટીઓ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે ત્યારે આ ચેતવણીનો વિશેષ મહત્ત્વ છે. 2023માં ભારતમાં યુએસ કોન્સ્યુલર ટીમે 1,40,000થી વધુ વિદ્યાર્થી વિઝા જારી કર્યા હતા, જે કોઈપણ અન્ય દેશ કરતા વધુ છે અને સતત ત્રીજા વર્ષે રેકોર્ડ બનાવ્યો હતો.
