(Photo by STR/AFP via Getty Images)

હિમાચલ પ્રદેશમાં કુદરતની આફતના કારણે મોટી સંખ્યામાં લોકોની હાલત કફોડી બની ગઈ હતી. આથી પરિસ્થિતિની ગંભીર નોંધ લઇને આમિર ખાને દરિયાદિલ દર્શાવી છે અને તેણે પૂરપીડિતોની મદદ માટે 25 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. હિમાચલમાં ભૂસ્ખલન થતાં મોટાપાયે જાનમાલનું નુકસાન થયું હતું. આ અંગે માહિતી આપતાં હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન ઠાકુર સુખવિન્દર સિંહ સુખુએ કહ્યું કે ‘આ રકમ લોકોને રાહત આપવા અને તેમના પુનર્વસન માટે ખૂબ મદદ કરશે. આમિર ખાને કરેલી મદદથી રાજ્યમાં પ્રભાવિત લોકોને ફરીથી બેઠા કરવામાં મદદ મળશે.’

LEAVE A REPLY

4 + 12 =