બોલિવૂડ સિંગર આદિત્ય નારાયણનો ફાઇલ ફોટો (Photo by INDRANIL MUKHERJEE/AFP via Getty Images)

બોલિવૂડના જાણીતા ગાયક આદિત્ય નારાયણે પહેલી ડિસેમ્બરે એક્ટ્રેસ શ્વેતા અગ્રવાલ સાથેના લગ્ન કરવાની યોજના બનાવી છે. આદિત્ય નારાયણે તાજેતરમાં રિલેશન અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. હવે એવા અહેવાલ છે કે આ વર્ષે જ બંનેના લગ્ન થનારા છે. આદિત્ય અને શ્વેતા છેલ્લા ઘણા વર્ષોથી ડેટિંગ કરી રહ્યા હતા. હવે બંનેએ લગ્નની તારીખ અંગે મૌન તોડ્યું છે અને કોરોના કાળમાં કેવી રીતે અને ક્યારે લગ્ન થવાના છે તેની માહિતી આપી હતી.
આદિત્ય નારાયણ તેની ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે પહેલી ડિસેમ્બરે લગ્ન કરવાનો છે. કોરોના વાયરસને કારણે ઘણા ઓછા લોકો આ લગ્નમાં હાજરી આપશે. તેણે કહ્યું હતું કે અમે પહેલી ડિસેમ્બરે લગ્ન કરીશું અને તેમાં માત્ર પરિવાર અને મિત્રોને જ આમંત્રણ આપીશું.