બોલીવુડની સિંગર કનિકા કપૂરને હાલ ડિસ્ચાર્જ કરવામાં આવી છે. કનિકા કપૂરનો છઠ્ઠો ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવી છે. 14 દિવસ કવોરન્ટાઈનમાં રાખ્યા બાદ બોલીવુડ સીંગર કનિકા કપૂરને આજરોજ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.કનિકા કપૂર છેલ્લા 14 દિવસથી લખનઉની હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. જેમાં છઠ્ઠા ટેસ્ટ કરાવ્યા બાદ નેગેટીવ આવતા હાલ તેમને ડિસ્ચાર્જ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે કનિકા કપૂર કોરોના પોઝીટીવ આવ્યા બાદ સારવારમાં રાખવામાં આવી હતી. કનિકાની સાથે તેના પૂરા પરિવારને પણ હોમ કવોરન્ટાઈનમાં રખાયા હતા.ઘણાં દિવસો હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રહેવાને કારણે કનિકા કપૂર પરિવાર તથા બાળકોને ઘણાં જ યાદ કરતી હતી. તે પરિવાર તથા બાળકો સાથે વીડિયો કોલ દ્વારા વાત કરતી હતી.

કનિકા પર આરોપ છે કે તેણે બેજવાબદારીથી વિવિધ સોશિયલ ઈવેન્ટ્સ અટેન્ડ કરીને લોકોનો જીવ જોખમમાં મૂક્યા હતા. આ બદલ તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે, તેના સંપર્કમાં આવેલ તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અગાઉ કનિકાની સારવાર કરતાં ડોક્ટર્સનું કહેવું હતું કે કનિકાનું વર્તન એક દર્દી જેવું નહીં પણ એક સેલેબ્રિટી જેવું છે.