કચ્છ માટે જેની લાંબા સમયથી માગણી કરવામાં આવી હતી તે ભુજથી મુંબઈની દૈનિક ફ્લાઇટનો શુક્રવારથી પ્રારંભ થયો છે. એર ઇન્ડિયા દ્વારા આ ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી. એર ઇન્ડિયાનું 120 બેઠક ધરાવતું વિમાન મુંબઇથી ભુજ આવતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા પરંપરા મુજબ વોટર કેનનથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે સત્તાધિશોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં સારો ટ્રાફિક મળતો રહેશે તો આવનારા સમયમાં 186 સીટની ફ્લાઈટ પણ શરૂ કરાશે.

એર કાર્ગો લગેજ-સામાન સર્વિસની વિમાની મુસાફરીમાં લગેજ લઇ જવાનો જે મુદ્દો હતો તેનું પણ નિરાકરણ આવી ગયું છે. ભુજથી જ એર ઇન્ડિયામાં વિદેશ સુધી મુસાફરી કરનાર મુસાફરોનું ભુજમાં ચેકિંગ થઇ ગયા પછી વિદેશ સુધી કોઈ ચેકિંગ કરાશે નહિ અને તેમનો સામાન સીધો જ વિદેશમાં પહોંચી જશે જેથી વારંવાર સામાન કલીઅરન્સની મુશ્કેલી રહેશે નહીં.

LEAVE A REPLY

seventeen − 10 =