(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

જાણીતા સર્વાઇવલ સ્કિલ શો ‘ઇન ટુ ધ વાઇલ્ડ વીથ બેર ગ્રીલ્સ’માં હવે અજય દેવગણ જોવા મળશે. આ રોમાંચક સફરનો હિસ્સો બનવા બદલ અજયે ખુશી વ્યક્ત કરી હતી. ડિસ્કવરી ચેનલ પરથી પ્રસારિત થતો આ શોના નવા એપિસોડ માટે અજય દેવગણની પસંદગી કરવામાં આવી છે. બેર ગ્રિલ્સે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે કે, બોલીવૂડના બે યોદ્ધા તેમની સાથે ઇન ટુ ધ વાઇલ્ડમાં જોવા મળશે. જેમાં અજય દેવગણનું નામ સામેલ છે પરંતુ બીજા અભિનેતા અંગે જણાવ્યું નથી.

અજય દેવગણ આ શોના શૂટિંગ માટે માલદિવમાં છે. આ શોમાં અત્યાર સુધીમાં અક્ષયકુમાર અને રજનીકાન્ત જોવા મળ્યા છે. એટલું જ નહીં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં ભાગ લઇ ચૂક્યા છે.
તેઓ એક સ્પેશિયલ એપિસોડમાં જોવા મળ્યા હતા. આ એડવેન્ચર ટ્રીપ દરમિયાન વડાપ્રધાને બેર સાથે પોતાના જીવનની અંગત વાતો પણ જાહેર કરી હતી.