ઘણાં વર્ષો સુધી લંડનમાં રહ્યા બાદ ગુજરાતના ગાંધીનગરના સેક્ટર-૨૪ આદર્શનગર ખાતે રહેતા ગૌરવભાઇ બ્રહ્મભટ્ટ અને તેમના પત્ની કલ્યાણીબેન બ્રહ્મભટ્ટનું પ્લેન ક્રેશમાં નિધન થતા તેમના બે મુસુમ બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી.
તેમના પુત્ર સૌહમે માતાપિતાના મૃતદેહની ઓળખ માટે પોતાના લોહીનું સેમ્પલ આપ્યું હતું. જે મેચ થયા બાદ સૌમવારે સવારે દેહનો કબ્જો સોંપવામાં અવ્યો હતો. ગાંધીનગર જિલ્લા વહિવટી તંત્ર પણ આ દંપતીના ઘરે જઈને જરૂરી સાંત્વન આપવામાં આવ્યું હતું.
સુરતમાં સિવિલ પ્રેક્ટિસ કરતા સિનિયર એડવોકેટ અને સુરત સિટી બાર એસો.ના પ્રમુખ નીલકંઠભાઇ બારોટે ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે તેમના સાળા ગૌરવ નવિનચંદ્ર બ્રહ્મભટ્ટ (ઉ.વ. ૪૨) અને તેમના પત્ની કલ્યાણી બ્રહ્મભટ્ટનું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અવસાન થયું છે. ગૌરવભાઈએ લંડનની એક યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી હતી અને તેઓ પ્રથમ ક્રમાંકે રહ્યા હતા. જેના કોન્વોકેશનમાં હાજરી આપવા ગૌરવભાઇને મુખ્ય મહેમાન તરીકે આમંત્રીત કરાતા તેઓ એર ઇન્ડિયાની ફ્લાઈટમાં લંડન જઇ રહ્યા હતા.’’
ગૌરવભાઇ મૂળ ઇડર નજીકના કંબોયા ગામના વતની છે. તેમના પિતા નવિનભાઇ બી. બ્રહ્મભટ નવસારી બસ ડેપો ખાતે ડેપો મેનેજર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા હતા.
