મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ટ્રોફીનું અનાવરણ કરાયું હતું. . (ANI Photo)

સલામતીના બહાના હેઠળ બાંગ્લાદેશની ક્રિકેટ ટીમે ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને શ્રીલંકામાં રમાનારા ટી-20 વર્લ્ડ કપમાં પોતાની મેચો ભારતમાં નહીં રમવાની જીદ પકડી રાખ્યા પછી આઈસીસીએ તેને સ્પર્ધામાંથી બાકાત રાખી દીધું છે. તેના સ્થાને સ્કોટલેન્ડની ટીમ ક્વોલીફાઈ થઈ છે અને તે ભારતમાં આ સ્પર્ધામાં ભાગ લેવા આવશે.

બીજી તરફ, પાકિસ્તાને પણ બાંગ્લાદેશને સમર્થન તો જાહેર કર્યું હતું અને આડકતરી રીતે એવી ચીમકી પણ આપી હતી કે, બાંગ્લાદેશની ટી-20 વર્લ્ડ કપમાંથી હકાપટ્ટી કરાય તો કદાચ પાકિસ્તાન પણ આ સ્પર્ધાનો બહિષ્કાર કરશે. જો કે, આઈસીસીએ એ મુદ્દે પાકિસ્તાન સામે પણ કડક વલણ દર્શાવતા હાલ પુરતું તો પાકિસ્તાને બહિષ્કારની વાત પડતી મુકી હોય તેમ ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ટીમની જાહેરાત કરી દીધી હતી.

જો કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે તેની ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેશે કે નહીં તેનો આખરી નિર્ણય દેશના વડાપ્રધાન શેહબાઝ શરીફના વડપણ હેઠળની સરકાર કરશે. શરીફ ગયા સપ્તાહ દરમિયાન વિદેશ યાત્રાએ હતા અને તે પાકિસ્તાન પાછા ફરે તે પછી મુદ્દે નિર્ણય લેવાશે.

/* */

LEAVE A REPLY