જામનગર જિલ્લામાં કોરોના સંક્ટની સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના કેબિનેટ પ્રધાનો, મુખ્ય સચિવ અનિલ મુકિમ સહિતના ઉચ્ચ અધિકારીઓ શનિવારે જામનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્થાનિક વહીવટી તંત્ર સાથે પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરીને જરૂરી સૂચનાઓ આપી છે. શનિવારે સવારે સેવા સદન ખાતે તેમની હાજરીમાં અધિકારીઓ અને જી.જી. હોસ્પિટલના ઉચ્ચ તબીબોની બેઠક રાખવામાં આવી છે. જામનગરમાં દૈનિક સતાવાર કેસ પણ 300થી વધુ થઈ ગયા છે. રોજ 50 થી 60 જેટલા મૃત્યુ પણ નોંધાઈ રહ્યા છે.