યુકે અને યુરોપમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે લંડનના BAPS સ્વામિનારાયણ મંદિરમાં વિવિધ કાર્યક્રમો અને સભાઓ રદ્દ કરાયા છે. હરિભક્તો, મુલાકાતીઓ અને ખાસ તો વૃદ્ધો તથા અશક્ત લોકોના આરોગ્યના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી તમામ જૂથ અને સ્કૂલ મુલાકાત પણ રદ્દ કરાયા છે. વધુમાં યુકે અને યુરોપના તમામ BAPS મંદિરો અને સેન્ટર્સમાં નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી અગાઉથી આયોજિત તમામ કાર્યક્રમો અને સભાઓ રદ્દ કરાયા છે. વધુ માહિતી સ્થાનિક સ્વયંસેવકો પાસેથી મળશે. જોકે, યુકે અને યુરોપના BAPSના તમામ મંદિરોમાં દર્શન, આરતી અને અભિષેક રાબેતા મુજબ થઇ શકશે. લંડન મંદિરની મૂર્તિઓના રોજિંદા દર્શન વેબસાઇટ દ્વારા થઇ શકશે.