દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ મંગળવારથી બુધવાર વચ્ચે 24 કલાકમાં વધુ 6,387 કોરોનાના પોઝિટિવ દર્દીઓ નોંધાતા અત્યાર સુધીમાં કુલ આંકડો 1,51,767ને પાર થઈ ગયો છે. દેશમાં કોરોનાના કેસો દોઢ લાખને પાર થઈ ગયો છે સાછે જ કુલ મૃત્યુઆંક 4,337 થયો છે. અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપીને 64,425 લોકો રિકવર થયા હોવાનું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

કોરોનાના કહેર વચ્ચે છેલ્લા 24 કલાકમાં 170 લોકોના મોત થયા છે જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાએ 1,792 લોકોનો ભોગ લીધો છે. તમિલનાડુમાં પણ કોરોનાનો હાહાકાર યથાવત રહેતા કુલ કેસની સંખ્યા 17 હજારને પાર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ દેશમાં હાલમાં 83,004 એક્ટિવ કેસ છે તેમજ એક દર્દી પરદેશ પરત જતો રહ્યો છે.

અત્યાર સુધીમાં 64,425 દર્દીઓ રિકરવર થઈ જતા રિકવરી રેટ 42.45 થયો છે. વિતેલા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 97 લોકોના મોત થયા હતા જ્યારે ગુજરાતમાં 27, દિલ્હીમાં 12, તમિલનાડુમાં 9, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 5-5, રાજસ્થાનમાં 3, આંધ્ર પ્રદેશ, ચંદીગઢ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, કરેળ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં એક-એક દર્દીના મોત થયા હતા.