Uniform Civil Code Bill
(ANI Photo/SansadTV)

રાજ્યસભાની 10 બેઠકો માટે ગુજરાત સહિત ત્રણ રાજયોમાં 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ગુજરાતમાં વિદેશ પ્રધાન એસ જયશંકર, દિનેશ જેમલભાઈ અનાવડિયા અને લોખંડવાલા જુગલ સિંહ માથુરજીનો કાર્યકાળ પણ સમાપ્ત થવાનો છે. અગાઉ વિદેશ પ્રધાન જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા.

આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં છ બેઠકો માટે ગોવામાં એક રાજ્યસભા બેઠક માટે ચૂંટણી યોજાશે.
આ અંગેની જાહેરાત કરતાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે તે જ દિવસે મતગણતરી કરવામાં આવશે. 13 જુલાઈ સુધીમાં ઉમેદવારીપત્રો ભરવાના રહેશે. બંગાળમાં ડેરેક ઓ’બ્રાયન, ડોલા સેન, પ્રદિપ ભટ્ટાચાર્ય, સુષ્મિતા દેવ, શાંતા છેત્રી અને સુખેન્દુ શેખર રેની રાજ્યસભાની મુદત પૂરી થઈ રહી છે. ગોવામાં વિનય તેંડુલકરનો કાર્યકાળ પણ પૂરો થઈ રહ્યો છે.
ગયા વર્ષે જુલાઈમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ચાર રાજ્યોમાં આઠ બેઠકો જીતી હતી. કોંગ્રેસે રાજસ્થાનમાં ત્રણ બેઠકો જાળવી રાખી હતી તથા રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં એક-એક બેઠક જીતી હતી.

LEAVE A REPLY

six + eight =