ગુજરાતમાં નવેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીના પ્રચાર માટે કોરોના વાઈરસના સંક્રમણ અને લોકોના આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા અંતર્ગત જગ્યા ચૂંટણી યોજાવાની છે ત્યાં તે જિલ્લામાં કલેક્ટર-ઉચ્ચ પોલીસ અધિકારીની મંજૂરી મેળવી વિવિધ સૂચના પ્રમાણે ચૂંટણીલક્ષી સભા કે પ્રચાર કામગીરી કરી શકાશે. આ પેટાચૂંટણી માટેના ઉમેદવારીપત્રકો 16 ઓક્ટોબર સુધી ભરી શકાશે, જયારે મતદાન ત્રણ નવેમ્બરે રોજ યોજાશે. એ જોતાં નવરાત્રી દરમિયાન જ રાજકીય પક્ષોને ચૂંટણીપ્રચાર કરવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે નવરાત્રીમાં ગરબા આયોજનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

માર્ગદર્શિકાના મુદ્દા

  1. સભાનાઆયોજન માટે બંધ જગ્યામાં જગ્યા / સ્થળની ક્ષમતાના 50%, પરંતુ મહત્તમ 200 વ્યક્તિની મર્યાદા રહેશે.
  2. ખુલ્લીજગ્યામાં આ પ્રકારના કાર્યક્રમો માટે મેદાન / સ્થળના વિસ્તારને ધ્યાનમાં લઈ 6 ફૂટનું સોશિયલ ડિસ્ટન્સિંગ, સમગ્ર સમારંભ દરમિયાન માસ્ક પહેરી રાખવું, થર્મલ સ્કેનિંગની સગવડતા, હેન્ડ વોશ / સેનિટાઇઝરની સુવિધાની શરતે 100થી વધુ વ્યકિતઓના ચૂંટણી સંબંધિત રાજકીય સમારંભ માટે મંજૂરી આપી શકાશે.
  3. સભાઅને મીટિંગના સ્ટેજ ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વ્યકિતગત ખુરશી પર (સોફા નહીં) વધુમાં વધુ સાત લોકો સ્ટેજ ઉપર બેસી શકશે. જો સ્ટેજ મોટું હોય તો આગળ–પાછળ હરોળમાં વધુમાં વધુ 14 લોકો (હરોળદીઠ સાત લોકો) બેસી શકશે.
  4. આપ્રકારના કાર્યક્રમ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ / પોલીસ કમિશનરને પૂર્વમંજૂરી માટે અરજી કરવાની રહેશે, જેમાં કાર્યક્રમની તારીખ, સમય, સ્થળ તથા તેમાં હાજર રહેનારી વ્યકિતઓની સંભવિત સંખ્યા દર્શાવવાની રહેશે.
  5. આવાકાર્યક્રમમાં હાજર રહેનારી વ્યકિતઓની સંખ્યા તથા અન્ય શરતોના પાલનની જવાબદારી આયોજકની રહેશે.
  6. ડોરટુ ડોર પ્રચારમાં ઉમેદવાર સહિત 5 વ્યક્તિની મર્યાદા રાખી શકાશે.
  7. રોડશો / બાઈક રેલી-વાહનોના કાફલામાં દર 5 વાહન પછી યોગ્ય અંતર રાખવાનું રહેશે.
  8. વાહનોનાબે કાફલા વચ્ચે 100 મીટરના અંતરને બદલે 30 મિનિટનો સમયગાળો રાખવાનો રહેશે.
  9. ઈલેક્શનમીટિંગ, કોવિડ-19ની માર્ગદર્શક સૂચનોને અનુરૂપ રહીને પબ્લિક ગેધરિંગ/ રેલી યોજી શકાશે.
  10. જિલ્લાચૂંટણી અધિકારીએ રેલી/ સભા માટે મેદાનો અગાઉથી નક્કી કરવાનાં રહેશે, જેમાં આવન – જાવનની ચોક્કસ વ્યવસ્થા રાખવાની રહેશે. આવાં મેદાનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના માપદંડો જળવાય રહે એ માટે નિશાનીઓ કરવાની રહેશે
  11. નિયતકરવામાં આવેલી સંખ્યા કરતાં લોકો વધે નહિ એ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને પોલીસ અધિક્ષકે કાળજી લેવાની રહેશે.
  12. કોવિડ-19 સંદર્ભેઆપવામાં આવેલી સૂચનાઓ, જેમ કે ચહેરાને યોગ્ય રીતે ઢાંકવો, સેનિટાઈઝરનો ઉપયોગ, થર્મલ સ્કેનિંગ વગેરેનો અમલ થાય એ માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ કાળજી લેવાની રહેશે.
  13. ઉમેદવારીપત્રક ભરતી વખતેબેથી વધુ વ્યક્તિ તથા બેથી વધુ વાહનો રાખી શકાશે નહીં.

ગરબા પર પ્રતિબંધ

રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ કરી શકાશે નહીં. પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય. સરકારે કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવરાત્રીના ગરબા, દશેરા, બેસતા વર્ષ સહિતના તહેવારોની ઉજવણી સંદર્ભે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેનો અમલ 16 ઓક્ટોબરથી કરવાનો રહેશે.

પેટાચૂંટણીમાં પ્રચાર માટે છૂટ

ગુજરાતમાં આઠ બેઠકની વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજવાની જાહેરાત ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી છે, જેની સામે જનતામાં આશ્ચર્ય સાથે રોષ ફેલાયો છે, કેમ કે 17 ઓક્ટોબરથી આવી રહેલા નવ દિવસના નવરાત્રી મહોત્સવ ઊજવવા પર પ્રતિબંધ મુકાયો છે તો બીજી બાજુ, ચૂંટણીપંચે નવરાત્રીમાં જ રાજકીય પક્ષો ચૂંટણીપ્રચાર કરી શકે એ મુજબની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે.