મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે. (ANI Photo)

મહારાષ્ટ્રમાં મસ્જિદો પરના લાઉડસ્પીકરનો વિરોધ કરી રહેલા રાજ ઠાકરે સામે પરોક્ષ હુમલો કરતાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્ર નવમિર્માણ સેના (એમએનએસ)ના વડાને “નવા હિન્દુ ઓવૈસી” અને તેમની પાર્ટીને “નવી હિન્દુત્વ MIM”.ગણાવી હતી.

મસ્જિદો પરથી લાઉડસ્પીકર દૂર કરવાની અને હનુમાન ચાલીસાના પાઠ કરવાની માગણી પાછળ ભાજપનો દોરીસંચાર હોવાનો આક્ષેપ કરતાં રાઉતે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં કોમી તંગદિલી ઊભી કરવાનું તથા હાલની રાજ્ય સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવાનું કાવતરુ ઘડવામાં આવ્યું હોવાની   ગુપ્તચર માહિતી મળી છે.
અગાઉ સરકારને અલ્ટીમેટમ આપતા રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે 3મે સુધીમાં મસ્જિદો પરથી લાઉડસ્પીકર દૂર કરો અથવા મસ્જિદોની બહાર મોટા અવાજમાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે.