સાઉથ વેસ્ટ લંડનના હાઉન્સલોમાં તા. 15ને બુધવારે રાત્રે 12.15 કલાકે સ્ટ્રીટ ફાઇટમાં છરીના ઘા વાગતા સિમરજીત સિંહ નંગપાલ નામના બ્રિટિશ શીખ કિશોરનું મૃત્યુ થયું હતું.

મેટ પોલીસે જણાવ્યું હતું કે 21, 27, 31 અને 71 વર્ષની વયના ચાર પુરુષોની હત્યાની શંકાના આધારે ધરપકડ કરાઇ હતી.

સ્પેશ્યાલીસ્ટ ક્રાઈમ યુનિટના ડિટેક્ટિવ્સે ખાતરી આપી હતી કે જવાબદારોને ન્યાય સુધી પહોંચાડવા માટે પોલીસ સખત મહેનત કરશે. ઘટના વિશેની માહિતી ધરાવનાર સૌને તથા ફોન, ડેશ કેમેરા અથવા ડોરબેલ ફૂટેજ પર કેપ્ચર કરી હોય તે સૌને CAD 63/15Nov ને ટાંકીને 101 ઉપર કૉલ કરવા અથવા 0800 555 111 ઉપર ક્રાઈમસ્ટોપર્સનો સંપર્ક કરવા અપીલ કરી છે.

બર્કેટ ક્લોઝ, હાઉન્સલો ખાતે લડાઈ થતી હોવાના અહેવાલને પગલે પોલીસ અને લંડન એમ્બ્યુલન્સ સેવા ધસી જતા નંગપાલ, છરાના ઘા સાથે મળી આવ્યો હતો. જેને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરાયો હતો. આ કેસમાં ચારેય શકમંદોની ઘટના સ્થળેથી ધરપકડ કરાઇ હતી જેમાં બે જણાને ઈજાઓ થતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

LEAVE A REPLY

eighteen − twelve =