A person who was declared dead of corona two years ago in a Vadodara hospital returned home

ભારતમાં રવિવારે સતત છઠ્ઠા દિવસે કોરોનાના 40 હજારથી વધુ કેસ નોંધાયા હતા. કોરોનાના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે તેની સાથે ત્રીજી લહેરના ભણકારા વાગવાના શરુ થઈ ગયા છે, કેરળ સ્થિતિ ખરાબ છે અહીં છેલ્લાં અઠવાડિયા દરમિયાન દેશમાં નોંધાયેલા 2.6 લાખ કેસ નોંધાયા છે, જ્યારે કેરળમાં 1.4 લાખ કેસ નોંધાયા છે. આ સિવાય તામિલનાડુ અને કર્ણાટકમાં પણ સ્થિતિ બાકી રાજ્યોની સરખામણીમાં વધારે કપરી છે. નવા કેસની સંખ્યા વધવાની સાથે એક્ટિવ કેસનો આંકડો 4 લાખની અંદર પહોંચ્યા બાદ ફરી 4.10 લાખને પાર કરી ગયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સોમવારના આંકડા પ્રમાણે ભારતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના વધુ 40,134 નવા કેસ નોંધાયા છે, આ સાથે કુલ 36,946 દર્દીઓ સાજા થયા છે અને 422 દર્દીઓના એક દિવસમાં મોત થયા છે. ગઈકાલે 41,649 કેસ નોંધાયા હતા, 37,291 દર્દીઓ સાજા થયા હતા અને 593 દર્દીઓના મોત થયા હતા. જ્યારે રવિવારે થયેલા મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે.

વધુ 40 હજાર કેસ સાથે ભારતના કુલ કોરોના સંક્રમણનો આંકડો 3,16,95,958 પર પહોંચ્યો છે, જ્યારે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3,08,57,467 થઈ છે અને કુલ મૃત્યુઆંક 4,24,773 પર પહોંચ્યો છે.

દેશમાં પાછલા એક અઠવાડિયામાં કોરોનાના નવા કેસમાં વધારો નોંધાયો છે જે તે અગાઉના અઠવાડિયા કરતા 7.5%નો ઉછાળો છે. આવામાં સાજા થયેલા દર્દીઓની સામે નવા કેસની સંખ્યા મોટી નોંધાવાના કારણે એક્ટિવ કેસ ફરી એકવાર 4.10 લાખને પાર કરીને 4,13,718 પર પહોંચી ગયા છે.

આ વર્ષની શરુઆતમાં 16મી જાન્યુઆરીના રોજ દેશમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી કુલ વેક્સિનેસનનો આંકડો 47,22,23,639 પર પહોંચ્યો છે, જેમાંથી પાછલા 24 કલાકમાં કુલ 17,06,598 લોકોને વેક્સિન આપવામાં આવી છે.