દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 59 હજારને પાર પહોંચી છે. જેમાંથી 1981 દર્દીના મોત નીપજ્યા છે જ્યારે 17847 કોરોના દર્દી સાજા થઈ ગયા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3320 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 95 ના મોત નીપજ્યા છે.ભારતીય મિશન વંદે ભારત હેઠળ શુક્રવારે રાતે 650થી વધારે ભારતીય સ્વદેશ પહોંચ્યા છે. દુબઈ, બહેરીન અને રિયાધથી લોકોનો જથ્થો ભારત આવ્યો છે. તમામ મુસાફર એર ઈન્ડિયાના વિશેષ વિમાનથી પાછા લાવવામાં આવ્યા છે. જોકે, સ્વદેશ પહોંચતા જ તેમને 14 દિવસ માટે ક્વોરન્ટાઈન પણ કરવામાં આવી રહ્યા છે. લોકડાઉન બાદ પણ દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે