A drunk man urinated on a woman on Air India's New York-Delhi flight
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત સરકારે આશરે બે વર્ષના સમયગાળા પછી 27 માર્ચ 2022થી રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનો મંગળવારે નિર્ણય કર્યો છે. જોકે તમામ વિદેશી એરાઇવલ અને ડિપાર્ચર માટે ભારતના એરપોર્ટ પર કોરોનાના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)નું પાલન કરવાનું રહેશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોનાના કેસોમાં સતત ઘટાડો અને વૈશ્વિક સ્તરે વેક્સિનેશનના કવરેજમાં વધારાને ધ્યાનમાં રાખીને તથા સંબંધિત પક્ષકારો સાથે વિચારવિમર્શ કર્યા પછી રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનો આ નિર્ણય લેવાયો છે.

કોરોના મહામારીને પગલે ભારતે 23 માર્ચ 2020થી શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ કરાઈ હતી. જો કે બબલ એગ્રીમેન્ટ હેઠળ જુલાઈ 2020થી આશરે 40 દેશો સાથે ભારતે પરસ્પર સ્પેશ્યલ પેસેન્જર ફ્લાઇટ્સ ચાલુ કરી હતી. એ બબલ એગ્રીમેન્ટ્સનો પણ હવે અંત આવશે.

અગાઉ 28 ફેબ્રુઆરીએ સરકારે  શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ પરનો પ્રતિબંધ વધુ આદેશ ન મળે ત્યાં સુધી લંબાવવાનો  નિર્ણય કર્યો હતો.