ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 150.61 કરોડ (150,61,92,903)ના આંકડાને શનિવારે વટાવી ગયું છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,44,12,740 દર્દીઓ સાજા થઇ ગયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.30% થયો છે. સક્રિય કેસનું ભારણ અત્યારે 4,72,169 છે. અત્યારે સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 1.34 % છે.
સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,29,948 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 68.84 કરોડથી વધારે (68,84,70,959) પરીક્ષણો કરવામાં આવ્યા છે. એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 5.66% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 9.28% નોંધાયો છે.