ભારતમાં શનિવાર સુધીમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 67.72 (67,72,11,205) કરોડ કરતાં વધારે થઇ ગયો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 58,85,687 રસી ડોઝના આપવામાં આવ્યા. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,21,00,001 દર્દીઓ સાજા થઇ ગયા છે અને એકંદરે સાજા થવાનો દર 97.43% થયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 42,618 નવા કેસ નોંધાયા છે. 69 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,04,970 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 52.82 કરોડથી વધારે (52,82,40,038) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.63% છે જે છેલ્લા 71 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર શનિવારે 2.50% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર સળંગ 89 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.