ભારતમાં છેલ્લા 24 કલાકમાં 71,04,051 રસીના ડોઝના આપવા સાથે,દેશનું કોવિડ -19 રસીકરણ કવરેજ 84.89 કરોડ (84,89,29,160) ના સીમાચિહ્ન આંકને શનિવારે વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,28,76,319 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 28,046 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.78% થયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 29,616 નવા કેસ નોંધાયા છે. 90 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસનું ભારણ શનિવારે 3,01,442 હતું, જે સક્રિય કેસના કુલ 0.90 ટકા થાય છે. સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,92,421 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 56.16 કરોડથી વધારે (56,16,61,383) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 1.99% છે જે છેલ્લા 92 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.86% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 26 દિવસથી 3%થી ઓછો છે અને સળંગ 109 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.