મોદી સરકારના બીજા કાર્યકાળનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. નિર્મલા સીતારમને જણાવ્યું છે કે, અમારી સરકારમાં દ્વારા ખેડૂતો માટે મોટી યોજનાઓ લાગુ કરવામાં આવી છે. સરકાર દ્વારા કૃષિ યોજનાને લાગુ કરવામાં આવી છે વડાપ્રધાન પાક વીમા યોજના હેઠળ કરોડો ખેડૂતોને લાભ પહોંચાડવામાં આવ્યો છે. સરકારનો લક્ષ્ય ખેડૂતોની આવક બમણી કરવાનો છે. ખેડૂતો માટે મોટી જાહેરાત કરતા નિર્મલા સીતારમને જણાવ્યું કે, અમારી સરકાર ખેડૂતો માટે કેટલીક જાહેરાત કરે છે જેનાથી ખેડૂતોના ફાયદો થશે. જેના માટે 16 એક્શન પ્લાન તૈયાર કરાયા છે.
મોર્ડન એગ્રીકલ્ચર લેન્ડ એક્ટને રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવશે.
100 જિલ્લાઓમાં પાણીની વ્યવસ્થા માટે મોટી યોજના જાહેર કરાશે જેથી ખેડૂતોની પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
પીએમ કુસૂમ સ્કીમ દ્વારા ખેડૂતોના પંપને સોલર પંપ સાથે જોડવામાં આવશે.
ફર્ટિલાઈઝરનો યોગ્ય ઉપયોગ કરવા અંગે ખેડૂતોને જાણકારી આપવામાં આવશે.
દેશમાં વેર હાઉસ અને કોલ્ડ સ્ટોરેજના નિર્માણને ઉત્તેજન આપીશું. જેના માટે પીપીપી મોડલનો ઉપયોગ કરાશે.
મહિલા ખેડૂત માટે ધન લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી, જેના હેઠળ મોટી યોજનામાં મહિલાઓને મુખ્ય રીતે જોડવામાં આવશે.
કૃષિ ઉડાન યોજનાની શરૂઆત કરવામાં આવશે જેનાથી ઉત્તર પૂર્વ અને આદિવાસી વિસ્તારોમાં કૃષિ ઉત્પાદનને વેગ મળશે,
દૂધ, માંસ, માછલી માટે કિસાન રેલ શરૂ કરીશું.
ખેડૂતોને ધ્યાનમાં રાખીને એક જિલ્લા, એક પ્રોડક્ટ પર ફોક્સ કરાશે.
જૈવિક ખેતી માટે ઓનલાઈન માર્કેટને વેગ આપવામાં આવશે.
કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની મર્યાદાને 2021 સુધી વધારવામાં આવશે.
નાબાર્ડ સ્કીમનો વિસ્તાર કરાશે. 2021માં 15 લાખ એગ્રિકલ્ચર ક્રેડિટ માટે ફાળવવામાં આવ્યા છે.
દૂધના ઉત્પાદનને વધારવા માટે સરકાર દ્વારા યોજના શરૂ કરાશે.
બ્લૂ ઈકોનોમી દ્વારા મત્સ્ય ઉદ્યોગને વેગ આપવામાં આવશે.
ખેડૂતોને કરવામાં આવતી મદદને દીન દયાલ યોજના હેઠળ ઉત્તેજન આપવામાં આવશે.