NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI6_21_2021_001010001)

ભારતમાં રવિવારે કોરોના વાઇરસના નવાા 53,256 કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 88 દિવસના સૌથી ઓછા છે. એક દિવસમાં 1,422 લોકોના મોત થયા હતા. કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 3,88,135 થયો હતો અને કુલ કેસની સંખ્યા વધીને આશરે 2.99 કરોડ થઈ હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે આઠ વાગ્યે જારી કરેલા ડેટા અનુસાર દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને આશરે 7 લાખ થઈ હતી, જે કુલ કેસના આશરે 2.35 ચકા છે. રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ પણ સુધરીને 96.36 ટકા થયો હતો. દેશમાં રવિવારે આશરે 13.88 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને ડેઇલી પોઝિટિવિટી રેટ 3.83 ટકા થયો હતો. આ રેટ છેલ્લાં 24 દિવસથી પાંચ ટકાથી નીચો રહ્યો છે. વીકલી પોઝિટિવિટી રેટ ઘટીને 3.32 ટકા થયો હતો.

દેશમાં રિકવર થયેલા લોકોની સંખ્યા નવા કેસ કરતાં સતત 39માં દિવસે વધુ રહી હતી. દેશમાં અત્યાર સુધી આશરે 2.88 કરોડ લોકો રિકવર થયા હતા. કોરોનાના મૃત્યુદર વધીને 1.30 ટકા થયો હતો.