સનાતન ધર્મગુરુ શ્રી રાજરાજેશ્વર ગુરુજી અને બુદ્ધ ધર્મગુરુ લેલૂંગ રિમ્પોચની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસના પર્વે નોર્થ વેસ્ટ લંડનના હેરો ખાતે આવેલા ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટરમાં વિશ્વ યોગ દિવસનું આયોજન કરાયું હતું. ગુરુજીએ  ભારતીય અને વિદેશી ભક્તોને યોગ વિષે માહિતિ આપી યોગથી થતા શારીરિક અને માનસિક લાભો જણાવ્યા હતા. ભક્તોએ યોગ, ધ્યાન અને મંત્ર જાપ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.