ભક્તિના હ્રદયસ્પર્શી પ્રદર્શનમાં જૈન એલર્ટ ટીમ યુકે દ્વારા ત્રણ જૈન સંઘ – મહાવીર ફાઉન્ડેશન, જૈન નેટવર્ક અને નવયુગ સંઘના 6 કે વધુ ઉપવાસ કરનાર તમામ સમર્પિત તપસ્વીઓને પ્રભાવના તરીકે 32 ગ્રામ (1 ઔંસ) ચાંદીના સિક્કા અર્પણ કરાયા હતા. તેનાથી ઓછા ઉપવાસ કરનાર દરેકને £10ના રૂપમાં પ્રભાવના અર્પણ કરાઇ હતી.

ચાંદીના સિક્કાઓનું વિતરણ કરવાના પ્રસંગની આનંદભેર ઉજવણી કરાઇ હતી તથા વાતાવરણ ભક્તિની ભાવનાથી ભરાઈ ગયું હતું.

જૈન એલર્ટ ટીમ યુકે આવા ઉમદા કાર્યો ઉપરાંત યુવા જૈન વિદ્યાર્થીઓ અને બિઝનેસીસ સાથે સક્રિયપણે કામ કરી રહી છે. જેથી તેમને યુકેમાં સ્થાયી થવામાં અને મજબૂત જૈન સમુદાયનું નિર્માણ કરવામાં મદદ મળે.

LEAVE A REPLY

8 + 20 =