વિશ્વ હિન્દુ પરિષદ સાઉથ લંડન ખાતે સંસ્થાના વડિલ સભ્યો દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે કાર્યક3મના સ્પોન્સર અને એશિયન રિસોર્સ સેન્ટર ક્રોયડનના ચેરમેન શ્રી જયંતભાઈ (જય) પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

નવરાત્રીના નવેય દિવસ દરમિયાન 100 થી 125 વડિલ સભ્યોએ બપોરના સમયે ગરબા કર્યા હતા તો આઠમના દિવસે હવન કરાયો હતો.

જય પટેલે પોતાની યાદો તાજી કરતા જણાવ્યું હતું કે તેઓ હંમેશા તેમની બહેનને લેવા-મૂકવા આવતા હતા. તેમણે પરસ્પર લાભ માટે સાથે મળીને કામ કરવાનું સૂચન કર્યું હતું.

જય પટેલ 14 વર્ષની ઉંમરે યુકે આવ્યા હતા અને ઘણી મુશ્કેલીઓ અને અડચણોનો સામનો કરી ACCAની ડિગ્રી મેળવી હતી. સમાજને કઇંક પાછુ આપવાની ભાવના સાથે તેમણે નાના બિઝનેસીસને મદદ કરવાનું શરૂ કર્યું હતું અને એશિયન રિસોર્સ સેન્ટરમાં જોડાયા બાદ હવે તેઓ ચેરમેન તરીકે સેવાઓ આપે છે.

LEAVE A REPLY

14 + 17 =