Jalaram-Mandir-Greenford

નોર્થ વેસ્ટ લંડનના ગ્રીનફર્ડ ખાતે આવેલ શ્રી જલારામ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર, (39 – 45 ઓલ્ડફિલ્ડ લેન સાઉથ, ગ્રીનફોર્ડ, UB6 9LB, UK) દરરોજ સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધી કોઈપણ એપોઈન્ટમેન્ટ વિના ભક્તોના દર્શન માટે ખુલ્લું રાખવામાં આવે છે.

કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દરેકની સલામતી અને સુખાકારીના હિતમાં મંદિરના વહીવટી તંત્ર દ્વારા કેટલાંક પગલાં લેવાયા છે. જે અંતર્ગત સંપૂર્ણ સ્વસ્થ ન હોય ત્યાં સુધી ભક્તોને કૃપા કરીને મંદિરની મુલાકાત ન લેવા અપીલ કરાઇ છે. મંદિરમાં દર્શન કરવા આવનારે સોમવાર તા. 8મી નવેમ્બરથી, 18 વર્ષથી વધુ ઉંમરના તમામ દર્શનાર્થીઓએ કોવિડની રસી લીઘી હોવાનો પુરાવો દર્શાવવો ફરજિયાત છે. આ માટે રસી લેતી વખતે આપવામાં આવેલ કાર્ડ અથવા રસીકરણના બૂસ્ટર ડોઝ અથવા NHS વેબસાઇટ અથવા એપ્લિકેશન પર નોંધણી પછી જારી કરાયેલ કોવિડ પાસ સ્વીકારવામાં આવશે. રસી વગરની કોઇ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં. ઘરે કરવામાં આવેલ લેટરલ નેગેટિવ ટેસ્ટ સ્વીકારવામાં આવશે નહીં. થર્મલ સ્કેનિંગ, સેનિટાઈઝર અને માસ્કનો ઉપયોગ અને સામાજિક અંતર રાખવાના નિયમિત પગલાં હજુ પણ ચાલુ રાખવા જોઈએ એમ મંદિર માની રહ્યું છે.

સંપર્ક: +44 (0) 208 578 8088 / 9285 મેઈલ [email protected] વેબસાઇટ: www.jalarammandir.co.uk